જીંદગી ને જેમ છે એમ જ એ જ કન્ડિશન માં માણવી જોઈએ.
આપણે જીંદગી ને આપણી શરતો પ્રમાણે માણવા જતા જીવનને માણી નથી શકતા. બચપણ થી માંડી ને કિશોરાવસ્થા સુધી નો સમય નિશ્વાર્થ ભાવે વિતાવ્યો. કોઈ પણ સમયે હંમેશા ખુશ રહેતા આપણે જેમ ઉમર વધતી જાય તેમ આપણા ચહેરા પર ની ગંભીરતા વધતી જાય છે.
જ્યારે વિતેલા વર્ષો પર નજર કરીએ તો વિતતા જતા વર્ષો ની પાસે થી આપણે શુ મેળવ્યુ ?
ઉંમર વધવાની સાથે અનુભવ વધવો જોઈએ અને આપણી સમજ પણ વધવી જોઇએ, સભ્યતા અને સહનશિલતા વધવી જોઈએ, સમાજ પ્રત્યે ની આપણી ફરજો વિશે ની દરકાર અંગેની ગંભીરતા, આમ ઘણુ બધુ અપડેટ થવુ જોઇએ.
No comments:
Post a Comment